વેચાણે લીધા:
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ધબપ/૧૦૯૮/૫૮૧/ઝ.૧, તા.૧૩/૧૦/૧૯૯૮
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ધબપ/૨૦૦૦/૮૦/૩/ઝ.૧, તા.૩૧/૦૩/૨૦૦૦
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ધબપ/૧૦૦૫/૨૧૬/૨/ઝ.૧, તા.૦૧/૦૮/૨૦૦૫
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ધબપ/૧૦૨૦૧૫/૧૧૮૩/ઝ.૧, તા.૦૧/૦૪/૨૦૧૫
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ધબપ/૨૦૦૯/૫૫૯/ઝ, તા.૨૮/૦૪/૨૦૧૫
- નાણાં વિભાગને ઠરાવ ક્ર:ખરચ/૨૦૨૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧, તા.૧૮/૦૧/૨૦૧૭
ઠરાવ:
નાણાં વિભાગના વેચાણે લીધેલા ક્રમ (૨) પરના તા. ૩૧/૦૩/૨૦૦૦ ના ઠરાવથી સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગી ના નિયમો સંકલિત કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા. ત્યાર બાદ વેચાણ લીધેલ ક્રમ (૪) પરના તા. ૧/૪/૨૦૧૫ ના ઠરાવથી છઠ્ઠા પગારપંચને અનુલક્ષીને મકાન બાંધકામ પેશગી ની મળવાપાત્ર મહત્તમ રકમ રૂ. ૧૫.૦૦.૦૦૦/- ( રૂપિયા પંદર લાખ ) નિયત કરવામાં આવેલ હતી. તેમજ વેચાણ લીધેલા ક્રમ (૫) પરના તા. ૨૮/૦૪/૨૦૧૫ ના ઠરાવથી મકાન બાંધકામ પેશગી માટેના વ્યાજદર નિયત કરવામાં આવેલા હતા.
સાતમા પગારપંચના નવા પગારધોરણ ધ્યાનમાં લઈ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર મકાન બાંધકામ પેશગી ની રકમ તથા તેના ઉપરના વ્યાજદર સુધારો કરવા તથા મકાન બાંધકામ પેશગીની કેટલાક નિયમોમાં સુધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે મકાન બાંધકામ પેશગી અંગે નીચેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
૧. મળવાપાત્ર મહત્તમ મકાન બાંધકામ પેશગી:
(૧) નવા મકાન ( એ હેતુ માટે જમીનની ખરીદી સહીત ) કે ફલેટના બાંધકામ કરવાના હેતુ માટે સરકારી કર્મચારીના સાતમા પગાર પંચના ધોરણો સરકારી કર્મચારીના ૩૪ ( ચોત્રીસ ) માસિક મૂળ પગાર અથવા મકાન/ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૨૫,૦૦,૦૦૦/- ( રૂપિયા પચીસ લાખ ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનુ નિયત કરવામાં આવે છે.
(૨) બાંધેલા તૈયાર મકાનની કે ફ્લેટની માલિકીના ધોરણે ખરીદી કરવાનું હેતુ માટે સાતમા પગાર પંચના ધોરણો સરકારી કર્મચારીના ૩૪ માસિક મૂળ પગાર અથવા મકાન/ફ્લેતની અપેક્ષિત કિંમત અથવા રૂ. ૨૫,૦૦,૦૦૦/- ( રૂપિયા પચીસ લાખ ) એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવાનુ નિયત કરવામાં આવે છે.
૨. મકાન બાંધકામ પેશગી માટેનો વ્યાજદર:
(૧) વેચાણ લીધેલ ક્રમ (પ) પરના તા. ૨૮/૦૪/૨૦૧૫ માં ઠરાવથી નિયત કરવામાં આવેલ વ્યાજદરના સ્થાને મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યજદર ૭.૯ નિયત કરવામાં આવે છે.
(૨) વેચાણે લીધેલ ક્રમ (૧) પરના તા. ૧૩/૧૦/૧૯૯૮ ના ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ સરકારી કર્મચારીઓની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલતા માડવાલ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫% નિયત કરવામાં કરવામાં આવેલ હતા. તેના સ્થાને માંડવાળ કરવામાં માટે વધારાના વ્યાજનો દર ૦.૨૫% નિયત કરવામાં આવે છે.
૩. મકાન બાંધકામ પેશગી માટેનો વ્યાજદર:
(૧) વેચાણ લીધેલ ક્રમ (૫) પરના તા. ૨૮/૦૪/૨૦૧૫ ના ઠરાવથી નિયત કરવામાં આવેલ વ્યાજદર સ્થાને મકાન બાંધકામ પેશગી માટે વાર્ષિક વ્યાજદર ૭.૯% નિયત કરવામાં આવે છે.
(૨) વેચાણ લીધેલ ક્રમ (૧) પરના તા. ૧૩/૧૦/૧૯૯૮ ના ઠરાવથી નોકરી દરમિયાન અવસાન પામેલ સરકારી કર્મચારીઓની મકાન બાંધકામ પેશગિની બાકી વસૂલતા માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર ૦.૫% નિયત કરવામાં આવેલ હતા. તેના સ્થાને માંડવાળ કરવા માટે વધારાના વ્યજનો દર ૦.૨૫% નિયત કરવામાં આવે છે.
૩. કર્મચારી ૧૮ વર્ષની અંદર નિવૃત થવાનો હોય ત્યારે નીવતૃતના જેટલા વર્ષ બાકી હોય તેટલા વર્ષના ૩/૪ ભાગમાં મુદ્દત અને ૧/૪ ભાગના સમયગાળા વ્યજની વસૂલતા કરવાની રહેશે. પરંતુ આ સંજોગોમાં વસૂલતા નો હપ્પતો બેઝિક પગારના ૪૦% થી વધતો જોઈએ નહિ, તે મુજબ પેશગી મંજૂર કરવાની રહેશે. આમ છતાં, બાકી રહેતી મકાન બાંધકામ પેશગી પ્રવર્તમાન નિયમોનુસાર ગ્રેજ્યુએટ માંથી વસૂલ કરવાની રહેશે.
૪. પતિ - પત્ની બંને રાજ્ય સરકારના નિયમિત કર્મચારી હોય તો તેવા કિસ્સામાં મકાન બાંધકામ પેશગી મંજૂર કરવા માટે પતિ - પત્ની બંનેની સાયુક્કત આવક ધ્યાને લઈ પેશગી મંજૂર કરવાની રહેશે.
૫. સમગ્ર સેવાકાળ દરમિયાન ફકત એક જ વખત મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે.
૬. બાંધકામ ટુંક સમયમાં શરૂ થનાર હોય અથવા બાંધકામ ચાલુ હોય તેવા ફલેટના કિસ્સામાં એકસાથે પેશગી મંજૂર કરવાને બદલે ત્રણ તબક્કામાં પેશગી મંજૂર કરવાની રહેશે. ( બાનાખત થયેલી કુલ પેશગી ના ૪૦%, ફલેટના સ્ત્રકચર ઉભુ થયેલી કુલ પેશગી ના બીજા ૪૦% તથા સ્કીમમાં વોટર પંપ, લિફ્ટ, કોમન એરિયા, ઇલેક્ટ્રીક ફિતિંગ વગેરેના કામ પૂર્ણ થયેલી કુલ પેશગી ના બાકી રહેતા ૨૦% )
૭. નિયમિત ભરતી પ્રક્રિયાથી નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારીના ફિક્સ પગારના પાંચ વર્ષની સમયગળાના મકાન બાંધકામ પેશગી ના હેતુ માટે ધ્યાને લેવાના રહેશે. પરંતુ નિયમિત પગાર ધોરણોમાં નિમણૂક હુકમો થાય બાદ તેઓને મકાન બાંધકામ પેશગી મળવાપાત્ર થશે.
નોંધ: વેચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે. આ ઠરાવ પ્રસિદ્ધ થાય તારીખે પેશગી મંજૂર કરવાની બાકી હોય તેવા કેસમાં આ ઠરાવ મુજબ નિર્ણય લેવાનો રહેશે. જે કેશમાં પેશગી મંજૂર કરવાના હુકમો કરવામાં આવેલ હોય તેવા કેસની પુનઃ વિચારણા કરવાની રહેશે નહિ.